ફકરો 2
કોલકાતાના એક વિસ્તારમાં દરિદ્રો અને મૃત્યુને આરે પહોંચેલા લોકોને માટે 'નિર્મળ હૃદય ’ નામનું એક ઘર છે . ખૂબ જ માંદા અને જેમને કોઈ જ રાખવા ન ઇચ્છતા હોય , માત્ર એવા જ લોકોને ત્યાં પ્રવેશ મળે છે . માંદા ગરીબ લોકોની પથારીઓની વચ્ચે એક વૃદ્ધ કોમળ આકૃતિ પસાર થતી દેખાય છે , જે એમને સ્મિત કે સ્પર્શ દ્વારા આરામ આપે છે . એ છે મધર ટેરેસા . અત્યંત દરિદ્ર લોકોની સેવા પાછળ એમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે . જેમને માટે દુનિયામાં ક્યાંય જગ્યા નથી એમને એ પોતાના ઘરમાં રાખે છે . જેમની સંભાળ રાખનાર કોઈ નથી એવાં નાનાં બાળકો , જેમને કોઈ રાખવા ન માગતા હોય તેવા વૃદ્ધજનો , રોગ મટવાનો જ ન હોય તેવા રોગી સ્ત્રી - પુરુષો , દુ : ખી અને ભૂખે મરતા ભિખારીઓ – એ સૌને મધરની પાસે આશરો ને રક્ષણ મળે છે . એમની સારવાર ને સંભાળ સૌને માટે સમાન છે , પછી ભલેને એમની જાત કે ધર્મ ગમે તે હોય . એમને માટે તો મધર ટેરેસા જીવંત સંત છે .