ફકરો 2
પાણી જીવન માટે આવશ્યક છે . હવામાં પાણીની વરાળ બાષ્પોત્સર્જન તથા બાષ્પીભવનથી ઉમેરાતી રહે છે . પાણીની વરાળનું વાતાવરણમાં ઘનીભવન થઈને નાનાં - નાનાં બુંદો બનાવે છે , જે વાદળ જેવાં દેખાય છે . ઘણાંબધાં પાણીનાં બુંદો પરસ્પર જોડાઈને વરસાદ , બરફ અથવા કરા સ્વરૂપે પડે છે . વરસાદ , કરા તથા બરફ નદીઓ , સરોવરો , તળાવો , કૂવાઓ તથા જમીનમાં પાણીની પૂર્તતા કરે છે . મહાસાગરો તથા જમીનના જલીય ભાગો વચ્ચે પાણીના ચક્રને જલચક્ર કહે છે . અત્યંત વધારે વરસાદથી પૂર આવે છે . જ્યારે લાંબા સમય સુધી વરસાદ ન પડવાથી દુષ્કાળ પડી શકે છે . પૃથ્વી પર વાપરી શકાય તેવા પાણીની માત્રા સીમિત છે . તેથી પાણીના વિવેકપૂર્વક ઉપયોગની આવશ્યકતા છે .