ફકરો-1
ભગતસિંહ
ભારત તો પહેલેથી જ વીરો ની ભૂમિ રહી છે. એવા વીરો ની ભૂમિ ભારત માં એક મહાન ક્રાંતિકારી વીર ભગતસિંહ થઈ ગયા.
વીર ભગતસિંહનો જન્મ ૨૮ સપ્ટેમ્બર, ૧૯૦૭નાં રોજ પંજાબનાં લયલપુર જીલ્લાનાં “બન્ગા” (હાલ પાકિસ્તાન) ગામમાં થયો હતો. વીર ભગતસિંહનાં પિતાનું નામ સરદાર કિશનસિંહ અને માતાનું નામ વિધ્યાંવતિ હતું.
લાહોર નેશનલ કૉલેજ (હાલ પાકિસ્તાન)માં ભગતસિંહ નો સુખદેવ, ભગવતી ચારણ અને યશપાલ નો પરિચય થયો.
13 એપ્રિલ 1919 નાં દિવસે અમૃતસરમાં સુવર્ણ મંદીર નજીક જલિયાવાલા બાગમાં અંગ્રેજ અધિકારી બ્રીગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેનાનાં નેતૃત્વ હેઠળ અંગ્રેજ પોલીસે ગોળીબાર કર્યો. જેમા હજારો ભારતીયો મૃત્યુ પામ્યા. એ જોઈને ભગતસિંહ નું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે મૃતકોંનુ લોહી અડીને કસમ લીધી કે તેં અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢશે.