ફકરો-1
આપણે ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખીએ છીએ , પરંતુ વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે છે . વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા મોટાભાગે પર્ણો દ્વારા થાય છે . આથી પર્ણ એ વનસ્પતિનું રસોડું ગણાય છે . લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે . આ ક્રિયાને પ્રકાશસંશ્લેષણ ” કહે છે . વનસ્પતિનાં પર્ણમાં રહેલાં હરિતકણો , મૂળે ચૂસેલા પાણી અને વાતાવરણમાંના કાર્બનડાયૉક્સાઈડ વાયુનો ઉપયોગ કરી શર્કરાસ્વરૂપે ખોરાક બનાવે છે . આ ક્રિયાને અંતે ઑક્સિજન વાયુ મુક્ત થાય છે .