ફકરો 2
વિનોબાએ એક પ્રસંગ નોંધ્યો છે . વિનોબા ભાવેને સવારે વહેલા ઉઠવાની ટેવ હતી . આ સવારના અનુભવો એમણે વર્ણવ્યો છે . તેઓ કહે છે , હું એક વાર ફરતો હતો . રસ્તામાં ખેતર આવ્યું . વહેલી સવારનો સમય હતો . પાકની રક્ષા માટે માંચડો બનાવેલો હતો . ત્યાં એક ખેડત બેઠેલો . મે કહ્યું , “ અરે ભાઈ , તારા ખેતરનું અનાજ પક્ષીઓ ખાય છે , તારું ધ્યાન કયાં છે ? ત્યારે ખેડુતે કહ્યું : એરે બાબાજી , આતો રામપ્રહાર છે . સૂર્યનારાયણ આવી રહ્યા છે . હમણાં થોડું અનાજ તેમેને ચણી લેવા દઈશ પછી ઉડાડીશ . તેમને પણ હક છે ને ? '