ફકરો 2
શું તમે જાણો છો કે મોતી સમુદ્રના તળિયેથી મળે છે ? સમુદ્રના તળિયેથી છીપલીઓ મળે છે . જેમાં કેટલીક છીપલીઓ કેટલાક સમુદ્રીયજીવોનાં ઘર હોય છે . જેને “ શુક્તિઓ ' ( oysers ) કહેવામાં આવે છે . શુક્તિઓ ( oysers ) મુક્તાસ્તર macre ) નામનો એક પદાર્થ બનાવે છે . આ મુક્તાસ્તર છીપલીઓની અંદરનો ભાગ કે જે ચમકદાર અને સુંદર હોય છે . ક્યારેક આવી છીપલીનો કોઈક નાનો ટુકડો રેતીના કણ અથવા અન્ય સૂત્મકણ શુક્તિની અંદર ભળી જાય છે . શુક્તિ આવા કણને મુક્તાસ્તરથી આચ્છાદિત કરે છે . આમ કેટલાક સમય પછી આ કણ પર આવરણો ચઢતા એક સુંદર મોતીનું નિર્માણ થતું હોય છે . કેટલાંક મોતી ગોળાકાર હોય છે . કેટલાક નાના બટન આકારનાં દેખાય છે અને કેટલાંક વરસાદનાં ટીપાં જેવા સદેશ દેખાતા હોય છે . મોતી જાતજાતનાં રંગના હોય છે . તે સફેદ અથવા ગુલાબી , દૂધિયા અથવા નારંગી , કાળાં અથવા ભૂરા અને સોનેરી હોઈ શકે છે . દરિયામાંથી શુક્તિઓને મરજીવાઓ ( ડૂબકી માર ) ભેગી કરે છે . આમાંથી મોતી કાઢી લેવામાં આવે છે અને ઝવેરીઓને વેચવામાં આવે છે . આમાંથી સુંદર દાગીનાઓ તેઓ બનાવે છે . મોતીમાંથી બનાવવામાં આવેલ હાર , કાનમાં પહેરાતી બુટ્ટીઓ , બંગડીઓ અને વીંટીઓ સ્ત્રીઓ ખાસ પસંદ કરતી હોય છે .