ફકરો-1
પર્ણોમાં લીલું રંજકદ્રવ્ય આવેલું હોય છે જેને હરિતદ્રવ્ય ( chlorophyll ) કહે છે તે પર્ણને સૂર્ય - ઊર્જાનું શોષણ કરવામાં મંદદરૂપ થાય છે . આ ઊર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે . આમ , સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશસંશ્લેષણ કહેવાય છે . ( Photo = પ્રકાશ ; Synthesis સંશ્લેષણ ) . તેથી આપણે કહી શકીએ કે , હરિતદ્રવ્ય , સૂર્યપ્રકાશ , કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યનાં છે . આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે . સૂર્ય - ઊર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે , અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે . આથી , સૂર્ય એ બધા સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે . શું તમે પ્રકાશસંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો ! પ્રકાશસંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં . લગભગ બધાં જ સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક પર જ આધારિત છે . બીજી બાજુએ ઑક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશસંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે . પ્રકાશસંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે .